આળસ નબળાઈ કે થાક જીવનભર ગાયબ કરવાનો જોરદાર દેશી ઈલાજ

હાલમાં અનેક લોકોને શરીરમાં પૂરતું પોષણ ન મળવાના કારણે અશક્તિ આવી જતી હોય છે. જો કે શરીરમાં અશક્તિ થવાના કારણે કોઈ પણ કામ કરવામાં મને લાગતું નથી. ઘણા લોકોને તાવ ઉતર્યા પછી જે શરીરમાં કમજોરી, અશક્તિ આવી ગઈ હોય તો ઝડપથી દૂર થતી નથી, પરંતુ અશક્તિ, નબળાઈ દૂર કરીને માનસિક આરામ મેળવવા માંગતા હોવ તો આ ઘરગથ્થુ ઉપાય અપનાવવો જોઈએ.

કામ કરતી વખતે થાકી જવાય, સ્ફુર્તિનો અભાવ હોય શરીરમાં નબળાઈ વર્તાતી હોય તો વડનું દૂધ પતાસામાં લેવું જોઈએ. એનાથી હૃદયની નબળાઈ, મગજની નબળાઈ અને શરીરની નબળાઈ દૂર થાય છે. એલચી, ખજૂર અને દ્રાક્ષ, મધમાં ચાટવાથી અશક્તિ દુર થાય છે. કોળાનાં બીજમાં મીંજનો લોટ ઘીમાં શેકી સાકર નાખી લાડુ બનાવી થોડા દિવસો સુધી નિયમિત ખાવાથી, ખૂબ મહેનત કરવાથી આવેલી દુર્બળતા દૂર થાય છે.

ઘીમાં સાંતળી ડુંગળી અને બબ્બે કોળિયા શીરો ખાવાથી માંદગીમાંથી ઊઠ્યા પછી શરીર માં આવેલી અશક્તિ જલદી દૂર થાય છે. દરરોજ 20 થી 25 ખજૂર ખાઈને ઉપર ગરમ દૂધ પીવાથી થોડા દિવસમાં જ શરીરમાં સ્ફૂર્તિ આવે છે, અને બળ વધે છે. એ સિવાય નવું લોહી પણ બને છે. ઉપરાંત ક્ષિણ થયેલું વીર્ય વધવા માંડે છે.

Lazines

સવાર-સાંજ 10 – 10 ગ્રામ ચારોળીના દાણા સાથે ગોળ ખાવાથી અશક્તિ દુર થાય છે. ગાજરનો રસ પીવાથી પણ અશક્તિ, નબળાઇ, કમજોરી દૂર થાય છે .જમ્યા પછી 3 થી 4 કેળા ખાવાથી અશક્તિ દુર થાય છે. એક કપ દૂધમાં એક ચમચી મધ નાંખીને પીવાથી શરીરની નબળાઈ દૂર થાય છે.

દૂધમાં ઉકાળીને અંજીર ખાઈ જવા અને દૂધ પી જવું. એનાથી અશક્તિ, નબળાઇ અને કમજોરી માંથી છુટકારો મળે છે. ખજૂર ખાઈને ઉપરથી ઘી મેળવેલું ગરમ દૂધ પીવાથી ઘણા થવાથી પુષ્કળ લોહી વહી જવાથી આવેલી નબળાઈ દૂર થાય છે. સફેદ ડુંગળી ઘીમાં શેકીને ખાવાથી શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ અને ધાતુની નબળાઈ દૂર થાય છે. મોસંબીનો રસ પીવાથી પણ શરીરની નબળાઈ દુર થાય છે.

દૂધમાં બદામ, પિસ્તા, ઈલાયચી, કેસર અને ખાંડ નાખી ઉકાળીને પીવાથી શરીરમાં શક્તિ બની રહે છે. પાંચ પેસી ખજૂર ઘીમાં સાંતળીને ભાત સાથે ખાવાથી અડધો કલાક ઉંઘ લેવામાં આવે તો નબળાઈ દૂર થાય છે, અને વજન પણ વધે છે એક સૂકું અંજીર અને પાંચ દસ બદામ દૂધમાં સાકર નાખી ઉકાળીને પીવાથી લોહીની શુદ્ધિ થાય છે, ગરમી દૂર થાય છે, અને શક્તિ વધે છે ચણાના લોટનો મોહનથાળ, મગજ, મૈસુર બનાવીને ખાવાથી તમામ પ્રકારની નબળાઈ દૂર થાય છે, અને શક્તિ વધે છે.

200 ગ્રામ સૂકી ખારેક નુ ચૂરણ બનાવીને તેમાં 25 ગ્રામ સૂંઠનું ચૂરણ નાખો. પાંચથી દસ ગ્રામ જેટલું આ ચુર્ણ રોજ 200 ગ્રામ દૂધમાં ઉકાળીને ખાંડ મિક્સ કરીને રોજ સવારે પીવાથી શરીરમાં શક્તિ વધે છે, અને નબળાઈ દૂર થાય છે. દિવસમાં બે અથવા એક કટોરીમાં એક ચમચી મધ નાખીને ખાવાથી પણ શરીરની નબળાઈ દુર થાય છે.

એક કપ પાણીમાં બે ચમચી આમળાનું જ્યુસ મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટે પાણી પીવું જોઈએ. એનાથી શરીરની નબળાઈ દૂર થાય છે. ઉપરાંત બીજા ત્વચા અને વાળ ને લગતા પણ અનેક ઘણા ફાયદા થાય છે. દાડમનો જ્યુસ પીવાથી પણ દરેક પ્રકારની નબળાઈ દૂર થાય છે. સવાર – સાંજ એક ગ્લાસ જ્યૂસ પીવું જોઈએ. ફણગાવેલા ચણા રોજ સવારે ખાવાથી શરીર પુષ્ટ અને બળવાન બને છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલી સ્વાસ્થ્ય સંબંધિત મહત્વપૂર્ણ જાણકારી તમને જરૂર થી પસંદ આવશે, અને ઉપયોગી થશે.

Leave a Comment