100 થી વધુ રોગો નો રામબાણ ઈલાજ છે આ વનસ્પતિ જાણો

આ ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. જેને અંગ્રેજીમાં Avaram Senna કહે છે જેનું વૈજ્ઞાનીક નામ Senna auriculate છે. આવડ ના ફૂલ પીડા અને સોનેરી રંગના હોય છે. પીળા ફૂલથી શોભતી આવડ ભારતમાં બધી જગ્યાએ જોવા મળે છે. આજે અમે તમને આવળ ના ફાયદા વેચે જાણવી છું.

રાજસ્થાન ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના વન વગડામાં રસ્તાની પડે અથવા પડતર જમીનમાં આવળના છોડ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. એક ડાળી વાળા આમલીના પાન જેવા દરેક ડાળી ઉપર આઠથી બાર સંયુક્ત પાન હોય છે. ફૂલ પીળા રંગનાં અને ગુચ્છામાં થતા હોય છે. તેની ઉપર લાંબી, ચપટી, તપખીરી રંગની શીંગો થાય છે. જેની અંદર ગોળ-ચપટા દસ બાર બીજ હોય છે. આવળ નો છાલ કપડા તથા ચામડા રંગવા માટે ખાસ વપરાય છે. આવળ ની છાલ બીજ ફૂલ પાન વગેરે દવા સ્વરૂપે વાપરવામાં આવે છે.

આવળ

આવવાના છોડ ગામના પાદરમાં અથવા ગોચરની જમીનમાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, અને છોડની ઊંચાઈ ત્રણથી 10 ફૂટની હોય છે. જેના છોડને ઘણી શાખાઓ હોય છે. તેનાં આંબલીના પાન જેવા જ હોય છે. તેનાં ફૂલ ગુચ્છાદાર તેજસ્વી, સુવાસ રહિત હોય છે. તેનાં ફૂલ ના ગુચ્છા દૂરથી જોતા ખૂબ જ સુંદર લાગે છે. આવળનાં ફૂલ માં 10 પુંકેસર અને એક સ્ત્રીકેસર હોય છે. ફુલ સુકાય છે ત્યારે લાલ રંગના થઈ જાય છે. કેટલાક લોકો ના અભાવે આવળ નું દાતણ કરે છે. આવળનું દાતણ પેઢાને મજબૂત કરે છે.

આવળ નામના સમાન પણ આને લીધે આવળ ના બે પ્રકાર ગણી શકાય. આવળ અને મીંઢી આવળ મરડાને રોકે છે. વૈદ્યો આવડ નો બહુ ઉપયોગ કરતા નથી પરંતુ ગામડામાં લોકો ઘરગથ્થુ ઓસડ તરીકે તેનો ઉપયોગ કરે છે. લગભગ દરેક ગામના પાદરમાં સહેલાઈથી મોટા પ્રમાણમાં આવળ મળી આવે છે અને મોટા પ્રમાણમાં મળી આવતી આ સસ્તી અને ઉપયોગી વનસ્પતિ ઔષધી તરીકે બધાએ ઉપયોગ કરવો જોઈએ.

આવળ ના ફાયદા

ચામડીના રોગ

ચામડીના રોગ

આવડ ના છોડની ચાલ તળિયાનો દુખાવો, ચામડીના રોગોને મટાડે છે. તે કઠણ ગૂમડું પણ નરમ પાડે છે. તેના પર આપણે ના તાજા લીલા પાન મૂકીને પાટો બાંધવાથી ગૂમડું નરમ થાય છે, અને એની પીડા પણ દૂર થાય છે.

ડાયાબિટીસ –

આવડ ના ફૂલ પીવાથી ડાયાબિટીસ તેમજ બહુમુત્ર રોગ મટે છે. આવળના ફૂલોનો પ્રદર રોગમાં સારો ફાયદો મળે છે. આ ફળના બીજ પાણીમાં વાટીને પીવાથી અને ઉપર લેપ કરવાથી પેશાબના રોગ દૂર થાય છે. આવડના ફૂલો નો ઉકાળો અને આવળના પાન ફૂલ મૂળ છાલ અને બીજનું ચૂર્ણ અડધી ચમચી જમતા પહેલા લેવાથી અને જરૂરી યોગ્ય પરેજી પાળવાથી ડાયાબિટીસનો ખૂબ જ ફાયદો મળે છે.

અતિસાર-

આવળ ના મૂળ વાત કરીને પીવાથી પેટની પીડા ઝાડા મરડો વગેરે મટે છે. તેમજ ઊલટીમાં પણ ફાયદાકારક છે. તેની છાલનો કવાથ લેવાથી જીવન પ્રવાહી તથા જૂના મરડા પર ખૂબ જ ફાયદા થાય છે. આવડની સીંગો અને રીંગનીના મૂળની છાલ ઘસીને પાવાથી બાળકોના ઝાડા અને ઊલટી મટે છે.

ઉલટી –

ઉલટી

પાઠ કરીને પીવાથી પેટની પીડા ઝાડા મરડો વગેરે દૂર થાય છે. તેમજ ઊલટીમાં પણ ફાયદાકારક છે 10 ગ્રામ આપણે આ ફૂલને દૂધમાં પીસીને તેને ગાળીને તેમાં 10 ગ્રામ સાકર ઉમેરીને પીવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી તરત જ બંધ થાય છે. આવવાના મૂળની છાલ ચૂસવાથી ઉધરસ યુક્ત અતિસાર અથવા ઉલટી પર તાત્કાલિક ફાયદો મળે છે. તેની છાલ મીઠા સાથે પીસીને તેનો રસ કાઢીને પીવાથી કોલેરા દૂધવાળી ઊલટી અતિસાર વગેરે દર્દો માં ખૂબ જ ફાયદો મળે છે.

અંગ જકડાઈ જવું-

કોઈ અંગ જકડાઈ ગયું હોય કે પીઠમાં જકડાઈ ગયા હોય તો આવળના પાન ખાટલા ઉપર પાથરી તેના પર કપડું પાથરી, તેના પર દર્દીને જતો સુવાડી ખાટલા નીચે અંગારા નો શેક આપવાથી જકડાયેલા અંગો છૂટા પડી જાય છે.

સોજો –

આવળના પાન સાજીખાર અને આમલીના પાન બાફીને બાંધવાથી અથવા વાટીને ગરમ કરીને લેપ લગાવવાથી મૂડમાં જુઓ હાથ-પગની મરડો વગેરેમાં ફાયદો થાય છે. આવળ પેટના દુખાવાના માં પણ ખૂબ જ ફાયદો અપાવે છે. આવળના પાન બાફીને સોજા પર બાંધવામાં આવે છે.

આંખોનો દુખાવો –

આવડ ના બીજ મોગલી એરંડામાં દૂધમાં ઘસીને બાંધવામાં માં આવે તો આંખના ફુલા, છારી દૂર થાય છે. દૂધમાં બાફી ને આંખો બંધ કરી આંખો પર બાંધવાથી આંખોનો દુખાવો પણ મટે છે.

આવળ નો ખાસ ગુણ શોધન અને ગ્રાહી છે. આ ફળની છાલનો કવાથ લેવાથી વધરા માં ગુણકારી છે. માસિક ધર્મમાં આવેલી સ્ત્રીઓને વધુ પડતો રક્તસ્ત્રાવ થતો હોય તો આવળના પંચાંગનો ક્વાથ લેવાથી ફાયદો થાય છે.

તેની કુમળી શીંગો કૃમિનો નાશ કરે છે. આપણી આંખો માટે ફાયદાકારક છે. આંખો દુખે ત્યારે તેના પાન બાંધવામાં આવે છે. તેને આંખમાં ભારણ રૂપે વપરાય છે. આવળના પાન ચણોઠી ના પાન ની જેમ મોંમાં રાખવાથી ગરમીથી આવેલું અને મોઢાના ચાંદા મટે છે. વાગેલા મારના કારણે થતાં સોજામાં તેના પાન હળદર સાથે વાટીને લગાવીને લેપ કરીને બનાવવામાં આવે તો ફાયદો થાય છે.

આ પણ વાંચો :- ચહેરા પર ગ્લો લાવવા માટે ફોલો કરો આ સરળ ટિપ્સ

આવળ કડવી, શીતળ અને પિત્તનાશક છે. મોઢા નો રોગ કોઢ, કૃમિ, ઉધરસ, અર્શ, પિત્ત, સોજો, રક્તવિકાર અને ઉપદંશ વિકાર, દાહ, તરસ વગેરે રોગોને મટાડે છે. આવળના ફૂલ પ્રમેહના શાક અને સુવર્ણ સમાન રંગ આપનારા છીએ ફૂલનો કેસર ઊલટી, કૃમિ અને સર્વ પ્રકારના પ્રમેહ, તરસ વગેરેને મટાડે છે. તે રુચિકર છે.

તેના બીજ પણ મધુમેહ, વિષહર, રક્તાતિસાર નાશક છે. આવળના મૂળ શ્વાસ, રક્તપિત, તરસ, વાત, પ્રકોપને દૂર કરનાર ધાતુ અને વીર્યના સઘળા રોગોને મટાડનાર અને શુક્રક્ષય માં પણ હિતકારી છે. આવળના પાન નો સ્વેદ ચોટ લાગવાથી ઉત્પન્ન થયેલા વ્યથાની વાત ને દૂર કરે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજની મહત્વપૂર્ણ માહિતી આવળ ના ફાયદા  તમને જરૂર થી પસંદ આવશે.

Leave a Comment