બ્લડપ્રેશર, લોહીની ઉણપ, હાઈ બીપી માટે કરો આ વસ્તુઓનું સેવન

તમે બધા જાણતા જ હશો કે, દ્રાક્ષનું સેવન કરવાથી ઘણી બધી બિમારીઓથી દૂર રહી શકાય છે. માટે આજે આ લેખમાં અમે તમને જણાવીશું કે, દ્રાક્ષ ખાવાના ફાયદા અને દ્રાક્ષ નું સેવન કરવાથી થતા ફાયદા અને વિશેષ માહિતી.

દ્રાક્ષ ખાવાના ફાયદા 

હાઈબ્લડ પ્રેશરના 

સુકી કાળી દ્રાક્ષ માં ઘણા એન્ટીઓકિસડન્ટસ, કાર્બોહાઈડ્રેટ અને કેલ્શિયમનો રહેલા છે. હાઈબ્લડ પ્રેશરના દર્દીઓ માટે તો કાળી દ્રાક્ષ એક વરદાન છે. તેવી જ રીતે, અન્ય કેટલાક રોગો અને શારીરિક સમસ્યાઓમાં પણ સુકી કાળી દ્રાક્ષ ખાવાથી ફાયદો થાય છે.

શ્વાસ લેવાની સમસ્યા 

જો તમે શ્વાસ લેવાની સમસ્યા હોય અથવા તો અસ્થમાની તકલીફ હોય તો, તમારે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. આ ઉપરાંત કેટલાક લોકો ને ટીબી ની સમસ્યા હોય છે, તો ટીબીના દર્દીઓ પણ દ્રાક્ષ ખાય તો ઘણો ફાયદો થાય છે. તેમને પણ દ્રાક્ષ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે, તેનાથી ઉધરસ ની સમસ્યા માં ઘણી રાહત મળે છે.

જો દૂધ સાથે કાળી દ્રાક્ષનું સેવન કરવામાં આવે તો, સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાળી દ્રાક્ષના ફાયદા જાણી તમે રોજ તેનું સેવન કરવા લાગશો.કાળી દ્રાક્ષ દૂધમાં પલાળી તેને ખાવા માં આવે તો સ્વાસ્થ્યને લાભ વધી જાય છે.કાળી દ્રાક્ષ ઇમ્યુનિટી એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી ફાયદા કારક માનવામાં આવે છે. કાળી દ્રાક્ષનો એક નહીં પરંતુ અઢળક ફાયદાઓ છે.

સાંધાનો દુખાવો 

જેમની વાળ ખરવાની સમસ્યા થઈ રહી હોય અથવા વાળ સફેદ થઈ ગયા હોય, તેવા લોકોએ પણ પોતાના આહારમાં નિયમિત રીતે કાળી દ્રાક્ષનો ઉપયોગ કરવો જોઇએ. જો તમારા હાડકા નબળા પડી ગયા હોય, અથવા સાંધાનો દુખાવો હોય, પગમાં દુખાવો રહેતો હોય તો પણ કાળી દ્રાક્ષ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.

કોલેસ્ટેરોલ

કોલેસ્ટ્રોલ પણ એક ગંભીર સમસ્યા છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાઓનું જોખમ રહે છે. કોલેસ્ટેરોલ વધતા વ્યક્તિના આકસ્મિક મૃત્યુની સંભાવના વધી જાય છે. તેથી વધેલા કોલેસ્ટ્રોલને ઘટાડવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે પણ સુકી કાળી દ્રાક્ષનું સેવન કરી શકો છો. કાળી દ્રાક્ષમાં ફાઇબર હોય છે. જે ધમનીઓમાં જમા થયેલી ગંદકી ને ધીરે-ધીરે બહાર કાઢે છે. આ જ કારણ છે કે, કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
સંધિવા નો સામનો કરવો પડતો હોય તો તમારે કાળી દ્રાક્ષ નિયમિત ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેમાં રહેલું કેલ્શિયમ હાડકાંને મજબૂત કરે છે. આ ઉપાય સ્ત્રીઓએ અવશ્ય કરવો જોઈએ. કારણ કે તેમના હાડકાં નબળાં પડી જવાની સમસ્યા વધુ રહેતી હોય છે..

હીની ઉણપને દુર કરવા માટે 

આજના સમયમાં મોટાભાગના લોકોને લોહીની ઉણપની સમસ્યાને વધુ થતી હોય છે. શરીરમાં લોહીની ઉણપ થતાની સાથે જ અનેક પ્રકારના રોગો શરીરમાં પ્રવેશતા હોય છે. સાથે-સાથે થાક, નબળાઇ અને આળસનો પણ સામનો કરવો પડે છે.

એવા સમયે જો તમે સૂકી દ્રાક્ષ નો ઉપયોગ કરો છો અને નિયમિત રીતે તેને આહારમાં સામેલ કરો છો તો, એમાં રહેલા આયર્ન લોહીની ઉણપને દૂર કરે છે, સાથે રક્તકણો પણ વધે છે.સામાન્ય રીતે શરીરમાં રહેલું લોહી અશુદ્ધ થઈ જાય છે ત્યારે તેમાં રહેલી અશુદ્ધિઓ શરીરમાં ઘણા રોગોને આમંત્રણ આપે છે. એનાથી ત્વચા પરના ખીલ ડાઘ બ્લેકહેડ્સ વગેરે થાય છે. આવી અનેક સમસ્યાઓ પણ સામનો કરવો પડે છે. જો તમે પણ આ સમસ્યાઓથી પરેશાન થઈ ગયા હોય તો, લોહી શુદ્ધ કરવા માટે કાળી દ્રાક્ષ નિયમિત ખાવી જોઈએ. તેનાથી લોહી શુદ્ધ થાય છે પરંતુ, સાથે નવું લોહી પણ બને છે.

ઇમ્યુનિટી વધારવા માટે 

આ ઇમ્યુનિટી વધારવા માટે એક કુદરતી સુપરફૂડ સાબિત થઈ શકે છે.કાળી દ્રાક્ષ માં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે, જે એન્ટિઓક્સિડન્ટ રૂપમાં કામ કરી રોગપ્રતિકારક ક્ષમતાને મજબૂત બનાવવામાં મદદ કરે છે.રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે કાળી દ્રાક્ષનું સેવન શરૂ કરી દો.

બ્લડપ્રેશર 

કહેવામાં આવે છે કે, કાળી દ્રાક્ષનું દરરોજ સેવન કરવાથી તે બ્લડપ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ મળે છે. બ્લડ પ્રેશરને સામાન્ય રાખવા માટે આપણા શરીરમાં પર્યાપ્ત રૂપમાં પોટેશિયમની માત્રા મળવી જોઈએ.કાળી દ્રાક્ષ માં પોટેશિયમની પર્યાપ્ત માત્રા હાજર રહેલી હોય છે. જેના સેવન કરવાને કારણે બ્લડ પ્રેશરને સામાન્ય રાખવામાં મદદ મળે છે.

આપણો આહાર સીધી રીતે આપણી ત્વચા સાથેના પોષણ સાથે પણ જોડાયેલો છે.કાળી દ્રાક્ષમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ અને બેક્ટેરિયલ સંક્રમણથી બચવાના ગુણ મળી આવે છે.એન્ટી ઓક્સિડેન્ટ ગુણ ત્વચાને નિખારવાનું કામ કરે છે. કુદરતી રીતે સુંદર બનાવે છે. તો આપણી ત્વચાને ઘણા ઈન્ફેક્શનથી બચાવવા ને રાખવા માટે પણ મદદગાર સાબિત થાય છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ : અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

અમને આશા છે કે આજના લેખમાં જણાવેલી દ્રાક્ષ ખાવાના ફાયદા ની વિશેષ માહિતી તમને જરૂરથી ઉપયોગી થશે.

Leave a Comment