વગર ઓપરેશને સાવ મફતમાં આંખના મોતિયોથી મેળવો છુટકારો

આજના આ આધુનિક યુગમાં માણસ ટેકનોલોજીના સતત સંપર્કમાં રહે છે. આખો દિવસ મોબાઈલ અને લેપટોપ સામે કલાકો બેસી રહેવાનું જાણે આજના માણસની આદત બનતી જાય છે. પણ મોબાઈલ અને લેપટોપમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો આંખને કેટલું નુકશાન પહોંચાડે છે એનો તમને અંદાજો પણ છે ખરા? તમારી આ આદતને કારણે તમને આંખે નંબર આવવાની શક્યતાઓ પણ અનેક ગણી વધી જાય છે.

વધુ પડતા સ્ક્રીન ટાઇમના કારણે જ્યારે આંખે નંબર આવે છે તો આપણે ચશ્માંનો સહારો લેવો પડે છે. આ ઉપરાંત અમુક ઉંમર બાદ મોતીયાની પણ તકલીફ થાય છે. આમ તો મોતીયાને ઓપરેશન કરાવીને દૂર કરી શકાય છે પણ આજે અમને તમને મોતીયાના ઓપરેશન કર્યા વગર જ ઘરેલુ ઉપાયથી મોતીયાને કઈ રીતે જડમૂળમાંથી દૂર કરી શકાય તે અંગે જણાવીશું.

તમે ન જાણતા હોય તો અમે તમને કહી દઈએ કે આપણી આંખની પાછળ એક એવો લેન્સ હોય છે, કે જેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થાય છે. અને જેના કારણે આપણે આપણી આંખોથી સ્પષ્ટ જોઈ શકીએ છીએ પણ ઘણીવાર લેન્સ પર જોખમ છવાઈ જાય છે અને જેને પરિણામે આપણે એકદમ સ્પષ્ટ જોઈ શકતા નથી. આ સમગ્ર વાતોને સાદિ ભાષામાં મોતિયો કહેવામાં આવે છે.

સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોને જ મોતીયાની તકલીફ થાય છે અને જેના કારણે એમને ઝાંખું દેખાવા લાગે છે. એટલું જ નહીં રંગ ઓળખવામાં રાત્રે વાંચવામાં પણ તકલીફ પડે છે. હવે જો તમેં ઓપરેશન કરાવ્યા વગર આ મોતીયામાંથી છુટકારો મેળવવા માંગતા હોય તો આજે અમે તમને કેટલાક ઘરગથ્થુ ઉપાયો વિશે જણાવીશું

ગૌમૂત્રમાં એટલી તાકાત રહેલી છે કે એ મોતીયાને જડમૂળમાંથી ગાયબ કરી શકે છે. ગૌમૂત્રના બે ત્રણ ટીપાં નાકમાં નાખવાથી મોતીયાની તકલીફ થતી નથી.

જો તમે ભરપૂર માત્રામાં વિટામિન સી યુક્ત પદાર્થો લો છો તો તમે મોતીયાથી બચી શકો છો. અને લીલા પાંદડાંવાળા શાકભાજી, ખાટા ફળો માંથી તમને સારા પ્રમાણમાં વિટામિન સી મળે છે.

ડુંગળીનો રસ પણ મોતીયામાં ખૂબ જ અકસીર સાબિત થાય છે. 10 ગ્રામ ચોખ્ખા મધમાં 10 ગ્રામ સફેદ ડુંગળીનો રસ અને બે ગ્રામ જેટલું કપૂર મિક્સ કરીને આ મિશ્રણને એક કાચની બોટલમાં ભરી લો. રોજ સૂતી વખતે આંખમાં એક એક ટીપું આ મિશ્રણનું નાંખવાથી ધીમે ધીમેં મોતીયાની તકલીફમાં રાહત મળે છે. અને ઓપરેશન કરાવવાની પણ જરૂર નથી પડતી.

જો તમને હજી શરૂઆતનો જ મોતિયો હોય તો રોજ સવારે શુદ્ધ મધનું એક ટીપું આંખમાં નાખવાથી મોતિયો ગાયબ થઈ જાય છે, આ પ્રયોગ તમારે ત્રણથી ચાર અઠવાડિયા સુધી કરવાનો છે.

આંખમાં મધ આંજવાથી પણ મોતીયાની તકલીફમાં રાહત મળે છે.

રોજ રાત્રે ચાર પાંચ બદામ પલાળીને સવારે આ બદામ સાથે કાળા મરીનો પાઉડર અને સાકર મિક્સ કરીને ખાવાથી આંખોનું તેજ વધે છે..

પાલક પણ આંખ માટે ખૂબ જ લાભદાયી છે. રોજ પાલકનો રસ પીવામાં આવે તો તમને ક્યારેય મોતિયો નહિ આવે.

ત્રિફળા પાઉડરને પણ રોજ પાણીમાં પલાળી રાખવો ત્યારબાદ તેને ગાળીને પછી આ પાણી વડે આંખને સાફ કરવામાં આવે તો પણ મોતીયામાં રાહત મળે છે.

તેમ છતાં પણ જો તમારે મોતીયાનું ઓપરેશન કરાવવું પડે તો ગભરાવવાની જરૂર નથી.મોતિયાનું ઓપરેશન હવે સાવ સામાન્ય વાત બની ગઈ છે. હવે લોકોને એનો પહેલા જેવો ડર લાગતો નથી. હવે તો ઓપરેશન કરાવ્યાના બે કલાક બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા પણ મળી જાય છે. બસ તમારે ઘરે થોડી કાળજી રાખવી પડશે.

ચશ્મા એવા જ પહેરો જેનાથી તમારી આંખ સંપૂર્ણ રીતે ઢંકાઇ જાય.

મોતિયાના ઓપરેશન કરાવ્યા પછી વધુ ખાટું ન ખાવું જોઈએ

આંખમાં ખંજવાળ આવે ત્યારે ભૂલથી પણ આંખને હાથ  રૂમાલથી મસળવી નહિ.

બપોરે તડકામાં ઘરની બહાર નીકળવું નહિ અને જો નીકળવું પડે એમ હોય તો કાળા ચશ્મા પહેરેલા જ રાખવા

ચશ્માં પહેર્યા વગર સૂર્યપ્રકાશના કિરણો આંખ પર ન પડવા દેવા.

થોડા દિવસ સુધી વેહિકલ જાતે ન ચાલવું

તો જો હવે તમને પણ મોતીયાની તકલીફ હોય તો તમે ઉપર જણાવેલ ઉપાયોની મદદથી મોતીયામાંથી છુટકારો મેળવી શકો છો અને જો તમારે ના છૂટકે ઓપરેશન કરાવવાનો વારો આવે તો પણ અમે જણાવેલી બાબતનું ખાસ ધ્યાન રાખજો. આશા છે કે અમે જણાવેલી માહિતી તમને તમારા રોજિંદા જીવનમાં ઉપયોગી સાબિત થતી હશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ. અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિ વ્યક્તિએ તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે.  અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

Leave a Comment