ખુબ જ ઉપયોગી કિચન ટીપ્સ જાણો

કિચન ટીપ્સ મોટાભાગની મહિલાઓ દરરોજ રસોડામાં કામ કરે છે. પરંતુ નાની-નાની ઘણી એવી બાબતોથી અજાણ હોય છે. જેનાથી એમનું કામ સરળ થઈ જાય છે. જેના કારણે ઘણી વસ્તુઓનું નુકસાન પણ થાય છે, માટે અહીં અમે તમને કેટલીક એવી ઉપયોગી કિચન ટિપ્સ વિશે જણાવીશું. જેનાથી તમારું રોજિંદુ કામ સરળ થઈ જશે.

– ડુંગળી કાપ્યા પછી હાથમાં ડુંગળીને દુર્ગંધ આવે છે. તો આ દુર્ગંધ અને દૂર કરવા માટે, બેકિંગ સોડા થી હાથ સાફ કરવા એટલે કે બેકિંગ સોડાને હાથ પર ઘસી લેવો. ત્યારબાદ હાથ ધોઈ લેવા. એનાથી ડુંગળીની દુર્ગંધ દૂર થઈ જશે.

– મોટાભાગની મહિલાઓ લસણ અને આદુ લસણ ઇ પેસ્ટ બનાવીને ફ્રિજમાં સ્ટોર કરે છે. પરંતુ તે ઝડપથી બગડી જાય છે. એના માટે વધારે સમય સુધી એને સ્ટોર કરવા માટે, સૌથી પહેલા લસણ અને આદુની છાલ કાઢીને તેને ધોઈ લેવા. ત્યારબાદ સ્વચ્છ કપડાથી તેને લૂછી લેવા. જેથી તેમાં રહેલું પાણી સુકાઈ જાય. ત્યારબાદ લસણ અને આદુને સુતરાઉ કપડા પર પાથરીને પંખા નીચે ચારથી પાંચ કલાક સુધી રાખવા..

ત્યારબાદ મિક્સર જારમાં પાણી ઉમેર્યા વગર તેને પીસીને પેસ્ટ તૈયાર કરવી. આ પછી તેને એક જારમાં ભરીને ફ્રિજમાં રાખવી. એનાથી આદુ લસણની પેસ્ટ લાંબા સમય સુધી બગડતી નથી.

– પ્લાસ્ટિક ચોપિંગ બોર્ડ પર પડી ગયેલા ડાઘને સાફ કરવા માટે, બે ચમચી ખાવાના સોડામાં અડધું લીંબુનો રસ મિક્સ કરવો અને બોર્ડ પર ઘસવું. પછી ચોપિંગ બોર્ડને 15 મિનિટ સુધી રહેવા દેવું ત્યારબાદ બોર્ડને લીંબૂની છાલ થી ઘસીને સાફ કરી લેવું. એનાથી શોપિંગ બોર્ડ ચમકવા લાગશે.

– એ જ રીતે લાકડાના ચોપિંગ બોર્ડ પર પડેલ ડાઘ ને સામગ્રી સાફ કરવા માટે, મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. એક ચમચી મીઠામાં અડધો લીંબુનો રસ મિક્સ કરીને તેને લીંબુની છાલ પર લગાવીને, લાકડાના ચોપિંગ બોર્ડને ઘસવું. ત્યારબાદ પાણીથી ધોઈ લેવું. એનાથી લાકડાનું ચોપિંગ બોર્ડ એકદમ ચોખ્ખું થઈ જશે.

– કોથમીરને લાંબા સમય સુધી સાચવી રાખવા માટે તેને સરખી રીતે સાફ કરી લેવી. ત્યાર પછી એક એર ટાઈટ કન્ટેનરમાં ટીશ્યુ મૂકીને કોથમીર ને ધોયા વગર જ રાખવી. બીજા ટિશ્યૂ પેપરથી તેને ઢાંકી દેવી. કન્ટેનર ને બંધ કરીને ફ્રીજમાં રાખવો. દર ચાર પાંચ દિવસ એ ટીસ્યુ પેપરને બદલવા. એનાથી કોથમીર બે થી ત્રણ અઠવાડિયા સુધી સૂકાતી નથી.

– જ્યારે પણ તમે આખા મસાલાને ગ્રાઇન્ડ કરો ત્યારે લાંબા સમય સુધી તે બગડે નહીં, એના માટે તેને કાચની બરણીમાં સ્ટોર કરવા. એનાથી તે લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. ગ્રાઉન્ડ મસાલાને સાચવવાની એક સરળ રીતે પણ છે કે, ફ્રીઝરના દરવાજાની બાજુમાં તમે રાખી શકો છો.

– એ જ રીતે પીસેલા મસાલાને બગડતા અટકાવવા માટે, તેમાં એકથી બે ચમચી મીઠું મિક્સ કરવું. એનાથી મસાલા ઝડપથી બગાડતા નથી અને ફૂગ પણ લાગતી નથી.

– જો વધારે કેળા ખરીદીને લાવ્યા હોય તો, કેળાને સાચવવા માટે, તેના ઉપરના દાંડીવાળા ભાગ પર એલ્યુમિનિયમ ફોઈલ લપેટી લેવું. જેનાથી કેળા ઝડપથી પાકતા નથી અને લાંબા સમય સુધી બગડતા પણ નથી.

– છોલેલા લસણની વધુ દિવસ સુધી સાચવવા માટે લસણને એર ટાઈટ કન્ટેનરમાં સીલ કરીને સ્ટોર કરવું. જોઈએ પરંતુ ભરતી વખતે ધ્યાન રાખવું કે, કન્ટેનર સંપૂર્ણ પણે સુકાયેલ હોય.

– છાલ વગરના લસણને એરટાઈટ કન્ટેનરમાં જ રાખવું જોઈએ. પરંતુ લસણને ધોવું જોઈએ નહીં. જો લસણ પાણીના સંપર્કમાં આવે તો, તે ઝડપથી બગડી જાય છે. પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા તેને ધોઈને જ ઉપયોગ કરવો જોઈએ. તમે આ લસણને 15 થી 20 દિવસ સંગ્રહિત કરી શકો છો.

– જો તમે કોઈ ગ્રાઈન્ડ કરેલા મસાલામાં મીઠું મિક્સ કર્યું હોય તો, શાક બનાવતી વખતે મસાલાનો ઉપયોગ કરતી વખતે તેને ધ્યાનમાં રાખવું જોઈએ કે, શાકમાં મસાલો નાખતી વખતે મીઠા નું પ્રમાણ વધી જાય નહીં.

– ચોખાના લોટમાં બહુ ઝડપથી કીડા થઈ જતા હોય છે. માટે તેને જંતુઓથી બચાવવા માટે લીમડાના પાનનો ઉપયોગ કરવો, અથવા લવિંગ નાખવા જોઈએ. એનાથી લોટ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

અમને આશા છે કે, આજના લેખમાં જણાવેલી કિચન ટિપ્સ તમને જરૂરથી ઉપયોગી થશે

Leave a Comment