ઘૂંટણ ની દવા ઘૂંટણ નો દુખાવો દૂર કરવાનો ઉપાય જાણો

ઘૂંટણ ની દવા | સાંધા નો દુખાવો

અત્યારે મોટાભાગે દરેક વ્યક્તિના શરીરમાં શારીરિક દુખાવા અને માંસપેશીઓના દુઃખાવા એક મોટી સમસ્યા બનતી જાય છે. આ દુખાવો કોઈ ભારે વસ્તુ ઊંચકવા થી હોય અથવા વધારે પડતું કામ કરવાથી શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થવાની ફરિયાદ થતી હોય છે. જો આ દુખાવાને આપણે નજરઅંદાજ કરીએ તો આગળ જતાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આપણે વિચારતા હોય છે કે શરીરમાં દુખાવો ફક્ત ઉંમરલાયક લોકોની થાય છે, પરંતુ એ વાત તદ્દન ખોટી છે કારણ કે, દુખાવો નાના બાળકથી લઈને 70 વર્ષના ઘણાં માણસોને પણ થઈ શકે છે.

માટે આજના લેખમાં ઘુટણ ના દુખાવા ની સમસ્યા દૂર કરવા માટે એક એવા લાડુની રેસિપી જણાવવાના છે, જેને તમે ઘીનો ઉપયોગ કર્યા વગર બનાવી શકો છો. જે હેલ્ધી અને પ્રોટીન યુક્ત હોય છે. જેને ખાવાથી ઘૂંટણ માં થતી સમસ્યા થી છુટકારો મેળવી શકાય છે. એ લાડુ ની રેસીપી જાણતા પહેલા ઘુંટણ નો દુખાવો કેમ થતો હોય છે, તેની સંપૂર્ણ માહિતી જાણીશું. ત્યારબાદ લાડુ બનાવવાની રીત જાણીશું.

ઘૂંટણ ની દવા

દુખાવા ના પ્રકાર 

દુખાવા ના પ્રકાર ઘણા બધા હોય છે, ખાસ કરીને માંસપેશીઓનો દુઃખાવો, પીઠનો દુખાવો, માથાનો દુખાવો, ગરદનનો દુખાવો અને ઘૂંટણનો દુખાવો હોય છે. બીજા પ્રકારના દુખાવામાં તંત્રિકા તંત્ર પ્રભાવિત થઈ જતી હોય છે અને એના કારણે દુખાવો થવા લાગે છે. આ રીતે થતા દુખાવાની ન્યુરોપેથીક પેન કહેવામાં આવે છે. તેમા નાનામોટા સાંધા જેવા આંગળીઓ અને સાંધામાં દુખાવો શરૂ થાય છે. તે કાંડામાં, ઘૂટણમાં, અંગૂઠામાં વધતો જાય છે. આ સમસ્યા વધી જવા પર આખા શરીરની કાર્ય કરવાની ક્ષમતા રોકાઈ જાય છે.

શરીરમાં છે હાડકાનું જોડાણ થતું હોય તેને સાંધા કહે છે. એમાં વળી ઘૂંટણના સાંધા શરીરના સૌથી જટિલ હોય છે અને મોટો જોડાણ ધરાવતો સાંધો છે. ઘૂંટણમાં નીકેપ,થાયબોન, ફિબ્યુલા અને શીનબોન જોડાઈ ને હલનચલન થઈ શકે તેવો સાંધો બનતો હોય છે. ઘૂંટણના સાંધાના હાડકાંઓને બાંધતા સ્નાયુઓ ટેન્ડ્સ અને સાંધા માં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનીવીયલ ફલ્યુડ હોય છે.

ઘૂંટણના દુખાવામાં થતી સમસ્યા 

ઘૂંટણ માં જ્યારે સોજો આવે ત્યારે દુખાવો થતો હોય છે. જ્યારે પણ પોતાની હલન-ચલનની પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય ત્યારે સમસ્યાઓ ઊભી થાય છે. એને સામાન્ય ભાષામાં ઘુટણ નો દુખાવો કહેવાય છે. પરંતુ ગોઠણ નો દુખાવો સાંધાના કયા ભાગમાં તકલીફ ઊભી કરે છે તે જાણવું જરૂરી છે. એ જાણ્યા પછી તેના અનુરૂપ ઉપચાર કરવો પણ ખૂબ જરૂરી છે.

ઘૂંટણ ની રચનામાં જોડાયેલા સ્નાયુઓમાં ઇજા, ખેંચાણ, સોજો હોય કે નીકેપ માં ઇજા થાય ડિસ્પ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય તો, વ્યક્તિનું વજન વધુ હોય, અયોગ્ય રીતે ચાલવા, ઊઠવા, બેસવા અથવા રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અને અલાઈમેન્ટ માં તકલીફ ઉભી થઇ શકે છે.

ઘરના બારી બારણાના મીજાગરા રીતે કામ કરે છે લગભગ એવું કામ ઘૂંટણના સાંધા પણ કરે છે. જ્યારે પણ આપણે ઊભા રહેતા હોઈએ છીએ એ સમયે કોઇપણ સ્નાયુ ના વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. જ્યારે પણ આપણે નીચે નમી અથવા બેસે છે ઊઠે છે, ત્યારે ગોઠણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમિયાન પણ ઘૂંટણ નો વપરાશ થાય છે. ઘૂંટણ દરેક પ્રકારના થડકારો ઝીલીને શોક અબઝોર્બર તરીકે કામ કરતાં કુર્ચાસ્થિ – મિનિક્સ અને આર્ટિક્યુલર કારટીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડાયેલા અનેક હાડકાં ઓનું હલનચલન ઘસારા વગર થવામાં મદદ કરે છે.

ઘુટણના સાંધામાં તકલીફ ક્યારે ઊભી થાય છે 

શરીરનું વધુ પડતું વજન એકધારી પ્રવૃતિ જેમકે દોડવુ, સાયકલિંગ લાંબો સમય સુધી કરવામાં આવે તો, ઘૂંટણ નો ટેકો લઈને સોફા કે ખુરશી પર બેસી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગ મૂકીને બેસવાની ટેવ છે. એવી કોઈ એક પગ ઉપર જ વધુ વજન આપવું, ઉબડખાબડ રસ્તા ઉપર પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવું, શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસા મૂકવાથી સ્નાયુઓને લિગામેન્ટ માં દબાણ પડવાના કારણો થી આડઅસર થતી હોય છે.

ઘુટણના રોગ માટેની સાવધાની અને ઉપચાર | ઘૂંટણ ની દવા

ઘૂંટણના સાંધા પર વધુ પડતું વજન આવવાથી તેની આડઅસર ઘૂંટણના સાંધા પર થતી હોય છે. આપણા પોતાના શરીરનું વધુ પડતું વજન પણ સાંધા માટે સમસ્યા ઊભી કરે છે. જો એમ થવા દેવું ન હોય તો આપણું વજન ઘટાડવું અને શરીરનું વજન પ્રમાણસર રાખવું જરૂરી છે. ચાલવા ઊભા રહેવાની પ્રવૃત્તિ સમયે યોગ્ય પગરખાં પહેરવા અને ઘુટણ નો અયોગ્ય ઉપયોગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓને અંદરની રચના માં વપરાતા લિગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો શિથિલતા માટે રક્ત નો આમ જવાબદાર હોય છે, માટે દરેક વ્યક્તિએ પ્રકૃતિને અનુરૂપ ખોરાક ખાવો જોઈએ. ખાસ કરીને ચરી નું પાલન કરીને ખાટા પદાર્થો, આથાવાળી, પ્રિઝર્વેટિવ વાનગીઓ તેમજ બજારુ ખોરાક બંધ કરીને આયુર્વેદમાં સૂચવેલ આમપાચન માટેનો ઉપચાર કરવાથી ઘુંટણનો લાલાશ પડતો સોજો અને જકડાહટ દૂર થાય છે.

મોટાભાગે ઘૂંટણ ની સમસ્યાથી પીડાતા હોય ત્યારે મેથી ખાવાથી દુખાવો મટી જતો હોય છે, પરંતુ ઘુટણ નો દુખાવો થવો જોઈએ નહીં. પહેલેથી જ એના માટે ધ્યાન રાખવું જરૂરી છે તો, ઘૂંટણ ની સમસ્યા આવે જ નહીં. માટે હેલ્ધી લાડુ બનાવવાની રેસિપી અમે આજે જણાવીશું. જેનું સેવન કરવાથી આ સમસ્યાથી તમે છુટકારો મેળવી શકશો.

ઘૂંટણના દુખાવામાં ઉપયોગી લાડુ બનાવવાની રીત –

સામગ્રી –
ગોળ 750 ગ્રામ
અખરોટ 200 ગ્રામ
સિંગદાણા 100 ગ્રામ
કાજુ 50 ગ્રામ
છીણેલું ટોપરું 100 ગ્રામ
બદામ 50 ગ્રામ
સૂંઠ 30 ગ્રામ
તલ 500 ગ્રામ

બનાવવાની રીત 

સૌ પહેલા તલ, સીંગદાણા, કાજુ, બદામ, અખરોટ લઈને તેને સારી રીતે સાફ કરી લેવા. સાફ કર્યા બાદ તલ, સીંગદાણા, છીણેલું ટોપરું અલગ કરી લેવા, અને બાકીના ડ્રાયફ્રુટ જેવા કે કાજુ-બદામ ને પણ અલગ કરી લેવા આ સામગ્રીને બે ભાગમાં વહેંચી લેવી. બે ભાગમાં વહેંચ્યા બાદ એક મોટી કડાઈ લેવી તેને ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં તલ અને શીંગ ના છીણેલું ટોપરું વાળો ભાગ રાખીને સહેજ ગરમ થાય એટલે છીણેલું ટોપરું થોડું બ્રાઉન કલરનું થઈ જશે. કઢાઈને ગેસ પરથી નીચે ઉતારીને કડાઈમાં રહેલી સામગ્રીને અલગ થાળીમાં કાઢી લેવી અને ઠંડુ કરવા મુકવું.

જ્યાં સુધી ઠંડુ પડે ત્યાં સુધી ફરીવાર વધેલા ડ્રાયફ્રુટ જેવા ક્યાં કાજુ, બદામ ને કડાઈમાં ગરમ કરવા કે થોડા રોસ્ટ થઈ જાય ત્યારબાદ આ સામગ્રીને પણ અલગ વાસણમાં કાઢીને ઠંડુ કરવા મુકો.

આ બધી વસ્તુ ઠંડી થઈ જાય ત્યારબાદ મિક્સરમાં ભેગી કરીને પીસી લેવી. એક વાતનું ધ્યાન રાખો કે વધારે પડતું ઝીણું પીસાઈ જવું જોઈએ નહીં. પીસાઈ ગયા બાદ તેની અલગ સ્વચ્છ વાસણમાં કાઢી લેવું.

હવે કડાઈમાં ગોળ ગરમ કરવા મૂકો. તે ગરમ થાય કે તરત જ બધી પીસેલી સામગ્રીને મિક્સ કરી લેવી અને હલાવતા જવું. બધું સરખી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને તેમાં સૂંઠ મેળવી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાંથી લાડુ બનાવવા. ઓછામાં ઓછા 30 લાડુ બને એ રીતે લાડુ બનાવવા. આ લાડુ અને 30 દિવસ સુધી રોજ સવારે ભૂખ્યા પેટે એક ખાવો જોઈએ. એનાથી ઘૂંટણના દુખાવામાં તમને રાહત થતી જોવા મળશે.

દેશી ઓસડીયા ઘરેલુ ઉપચાર” આ અમારું ફેસબુક પેજ છે જ્યાં અમે સતત પ્રયત્ન કરીએ છીએ કે અમે અનુભવેલું અને અજમાવેલ જ તમને જણાવીએ.

અમારા પેજ પર જો તમે નવા છો તો અમારું પેજ હમણાં જ લાઈક કરી લો જેથી અમારા દરેક આર્ટિકલ તમે નિયમિત વાંચી શકો. તમને અમારી આ માહિતી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા બીજા મિત્રો સુધી આ માહિતી જરૂર શેર કરજો જેથી વધુ ને વધુ લોકોને આનો ફાયદો મળે.

ખાસ નોધ: અહીંયા અમે જે પણ ઘરેલુ અને સટીક ઉપાય તમને જણાવીએ છીએ એ લગભગ અસરકારક છે જ પણ તમે પણ જાણતા જ હશો કે વ્યક્તિની તાસીર અલગ હોય છે. આમ કોઈપણ ઉપાય તમે અપનાવો અને જો ફર્ક પડતા થોડો સમય લાગે તો એ તમારી તાસીરના કારણે બની શકે છે. વધુ વિગતો માટે હંમેશા તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.

આ પણ વાચો :- મોઢાના છાલા ની દવા

આ હતી ઘૂંટણ નો દુખાવો ઘૂંટણ ની દવા દુર કરતા ઘી વગર ના લાડુ ની રેસીપી અને અન્ય માહિતી, અમને આશા છે કે આ માહિતી તમને જરૂર થી પસંદ આવશે અને ઉપયોગી થશે.

1 thought on “ઘૂંટણ ની દવા ઘૂંટણ નો દુખાવો દૂર કરવાનો ઉપાય જાણો”

Leave a Comment